# જેવા પ્રયત્ન એવી પ્રાપ્તિ # ~'જેને નથી કોઈ ચાહ એને કેમ મળે રાહ?' સુવિચાર લખતા હોય છે નવા આવેલા સાહેબ ત્યારે ત્યાં ઊભેલા ૩-૪ વિદ્યાર્થીઓ જોઈને દોડતા આવે છે... અર્થ જાણવાની સહઉત્સુકતા આવીને મનપસંદસર! મનપસંદસર! નામની બૂમો પાડવા લાગે છે. જી હા!! મનપસંદસર! આ જ નામ રાખ્યું હતું વિદ્યાર્થીઓએ નવા આવેલા સાહેબશ્રીનું કોઈના મનને પસંદ આવવા કંઈ ખાસ કરવાની જરૂર ક્યાં પડે છે, પોતે કરેલા સારા કર્મ જ વ્યક્તિની છબી બની જતા હોય છે. જયારે આ મનપસંદ સર મતલબ આલેખ સર શહેરની નં ૧ ગણાતી શાળામાં આવ્યા ત્યારે એમણે જોયેલુંં કે આ શાળામાં પટ્ટાવાળા(પ્યૂન)થી લઈને શાળાના સંચાલક(ટ્રસ્ટી)શ્રીઓના બાળકો એક સાથે અભ્યાસ કરે છે. આ જાણીને સાનંદાશ્ચર્યની ભાવના તો થઈ પરંતુ ટકી નહીં... કારણ બહુ મોટું ન હતું , ન તો મોટાનું હતું બસ! એટલું જ હતું કે વર્ગમાં વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચે જે વ્યવહાર હતો એ આખરે એ જ હતો જે જીવન બાળકો પોતાને ઘરે જોઈ રહ્યા હતા. અહીંયા માત્ર એ બદી જોવા મળી જે છે તો બધે ...