Posts

Showing posts from August, 2021

*જન્માષ્ટમી*

*જન્માષ્ટમી*  જન્માષ્ટમી એટલે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ. શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ મથુરાની જેલમા થયો હતો. આ તહેવાર ઉજવવા પાછળ એક ઘટના છુપાયેલી છે. મથુરામા એક કંસ નામનો રાજા રાજ કરતો હતો. તે તેની બહેન દેવકીના લગ્ન સમયે તેને વળાવવા જતો હતો. તે સમયે તેને એક આકાશવાણી સંભળાઈ કે "દેવકીનું આઠમું સંતાન તારો નાશ કરશે". આ સાંભળીને કંસ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેને દેવકી અને વસુદેવને જેલમાંં પૂર્યા. જેલમા કંસે વસુદેવ અને દેવકીના સાત સંતાનનો નાશ કર્યો. શ્રાવણ વદ આઠમને દિવસે શ્રીકૃષ્ણએ દેવકી માતાનાં આઠમા સંતાન તરીકે જન્મ લીધો. દેવકીજીને ચિંતા થવા લાગી કે કંસ આ સંતાનને પણ મારી નાખશે. ત્યાં તો ચમત્કાર થયો, બહારનાં બધા ચોકીદારો ઊંઘી ગયા બેડીઓ ખુલી ગઇ જેલનાં દરવાજા ખુલી ગયા.  વસુદેવે નાનકડા શ્રીકૃષ્ણને એક ટોપલામાં સુવડાવ્યા અને ગોકુળ જવા ઉપડ્યા. વરસાદ વરસતો હતો. યમુના નદીમાંં ઘોડાપુર ઉમટ્યા હતાં. વસુદેવ નદી પાર કરી ગોકુળમા નંદરાયને ત્યાં મુકી આવ્યાં અને નંદરાયને ત્યાં દિકરીનો જન્મ થયો હતો તે દિકરીને લઈ પાછા મથુરા જવા ઉપડ્યા. આખરે વસુદેવ મથુરા પહોચી ગયા. જેલમાંં પાછા આવી ગયા બાદ જેલનાંં દરવાજા આ...

*પાણી બચાવો*

*પાણી બચાવો* કુદરતના વરદાન સમી આ ધરતી માતા અને કુદરતના ઉપકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આપણા બ્રહ્માન્ડ માં એક માત્ર પૃથ્વી જ એવો ગ્રહ છે જ્યાં પાણીનો ઉપયોગ લાયક જથ્થો છે. જળ વિનાના જીવનની કલ્પના કરવી પણ શક્ય નથી. “હોય નદી નાળાં કે તળાવો હજાર, કુદરતની રહેમ વિના રહે ખાલી,  પશુ, પક્ષી, વનસ્પતિ અને માનવીનું જીવન એનાથી રહ્યું છે ચાલી.” જોયુને, તમે સમગ્ર જીવન અને સજીવ સૃષ્ટિનો આધાર સ્તંભ પાણી જ છે. આપણી પૃથ્વીના સમગ્ર ભૂ-ભાગના ૧/૩ ભાગમાં પાણી છે અને એક ભાગમાં જમીન છે. આ ૧/૩ ભાગના પાણીમાં પણ પીવાલાયક પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. આપણું જીવન અનાજ વગર ચાલી શકે પણ પાણી વગર નહીં. ધરતીની શોભા સમા વૃક્ષોની કલ્પના પાણી વગર કેમ કરવી કારણ કે તેના વિકાસ અને વૃધ્ધિનો આધાર પાણી પર જ છે.  આજે માનવીની હરણફાળ પ્રગતિ અને સ્વાર્થી વૃતિના પરીણામે વાતાવરણમાં પ્રદુષણ વધી રહ્યું છે. જેની સીધી અસર વરસાદની અનિયમિતતા અને અતિ વૃષ્ટિ તથા અનાવૃષ્ટિની રીતે જોવા મળી રહી છે. આજે વિવિધ સંસ્થાઓ તથા સરકારશ્રીના વિવિધ મંત્રાલયો દ્વારા લોકોમાં પાણી અંગે જાગૃતિઆવે તથા આપણે સૌ સમજ્દારીપૂર્વક પાણીનો ઉપયોગ કરીએ તે માટે ...

એ ખુદા

બંદગી કરું ત્યારે જ સાંભળે ખુદા ! શું મારા હૃદયની અરજથી અજાણ છો તું માલિક ! બંદગી કરું ત્યારે જ ઉત્તર આપે ખુદા ! શું મારા ખરતા આંસુઓથી બેખબર છો તું માલિક ! બંદગી કરું ત્યારે જ કબૂલ કરે ખુદા ! મારી તડપ, મારી પોકાર, મારી આહ્! નજરઅંદાજ છે શું?! એ પરવરદિગાર-એ-આલમ...!!

एक शख्स था...! 20-8-21

एक शख्स हुआ करता था..! मेरे जहन-ओ-जहां से रूह के अमान तक... एक शख्स हुआ करता था..! मेरे दिल के करीब सफर-ऐ-गुमान तक... एक शख्स हुआ करता था..! सहर की रौशनी से आफताब-ऐ-आसमान तक... एक शख्स हुआ करता था..! हाल-ऐ-कशिश से  सांस के फरमान तक... एक शख्स हुआ करता था..! होठो के तबस्सुम से रोते हुए रूहान तक... एक शख्स हुआ करता था..! ख्वाब-ऐ-मंजर से हक़ीक़त-ऐ- दास्तान  तक... एक शख्स हुआ करता था..! आरज़ू-ऐ-मोहब्बत से नफरत के मक़ाम तक...
★તું મને ભગવાન એક વરદાન આપી દે★ ◆તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે  ◆હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન આખરી અવતારનું મંડાળ બાંધી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાન…. ◆આ ભૂમિમાં ખુબ ગાજે પાપના પડઘમ બેસૂરી થઇ જાય મારી પુણ્યની સરગમ  દિલરુબાના તારનું ભંગાળ સાંધી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાન… ◆જોમ તનમાં જ્યાં લાગી છે સૌ કરે શોષણ જોમ જાતા કોઈ અહિયાં ના કરે પોષણ  મતલબી સંસારનું જોડાણ કાપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાન…

8-8 morning મંત્ર

'મળે છે અહીં મૃત્યુ વિસ્મયના વાંકે, નવા ને નવા જિંદગીના વળાંકે, મને તો મળી જિંદગી ઔર, કાંંકે નથી કોઈ આઘેની આશા કરી મેં, નથી કોઈ જીરણને રાખ્યું મેં ઝાલી.'